માતા-પુત્રીએ બન્ને ભેગા થઈ ખેલીયો ખૂની ખેલ, પત્નીએ માથામાં પરાળ મારી, 15 વર્ષની દીકરીએ કટર લઈને પિતાનું…

ગાંધીનગરના કોલવાડા ગામમાં ઘનશ્યામ પટેલ હત્યા કેસમાં નવો વળાંક આવ્યો છે. પોલીસ તપાસ દરમિયાન 15 વર્ષની પુત્રીએ પણ કટર વડે પિતાનું ગળું કાપી નાખ્યું હતું. જ્યારે પત્નીએ માથામાં પરાળ મારી હતી. હત્યા બાદ માતા પુત્રી લાશ પાસે કલાકો સુધી બેસી રહી હતી. ઘરના ઝગડાઓને કારણે તેની હત્યા કરવામાં આવી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું.

ગામમાં ઘનશ્યામ વિષ્ણુભાઈ પટેલની ઘાતકી હત્યાથી આજે ચકચાર મચી ગઈ છે. આ હત્યામાં ઘનશ્યામ પટેલની પોતાની પત્ની અને 15 વર્ષની પુત્રી હોવાનું બહાર આવ્યું છે. ગાંધીનગરના કોલવાડાના જશુ પટેલ અગાઉ વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ રહી ચૂક્યા છે. જિદ્દી માણસ તરીકેની છાપ ધરાવતા જશુ પટેલને બે નાના ભાઈ જગદીશ અને ઘનશ્યામ પટેલ હતા.

ઘનશ્યામ પટેલ બે દાયકા પહેલા ગેરેજ ચલાવતા હતા, બે દાયકા પહેલા તેઓ ગાંધીનગર જિલ્લા પંચાયત પાસે ગેરેજ ચલાવતા હતા. પરંતુ તેના મોટા ભાઈ જશુ પટેલે અંગત અદાવતમાં સલીમ અને દેવજી નામના બે મિત્રોને જીવતા સળગાવી દીધા હતા. જે બાદ બળવાખોર તરીકે જશુ પટેલનું નામ ગુંજી ઉઠ્યું હતું. લોકો જશુ પટેલથી ડરતા હતા. અને જશુ પટેલ ડોન તરીકે ઉભરી આવતાં જ અચાનક ત્રણેય ભાઈઓની રહેણીકરણીમાં મોટો બદલાવ આવ્યો

તેનો ગેરેજનો ધંધો બંધ કરી દીધો અને રુવાબ ભેર રહેવા લાગ્યો હતો. ત્યારપછી એક યુગલ કોલવારા ગામમાં રહેવા આવ્યું. એટલે કે રિશિતા અને તેનો પતિ ગોલી કોલવારામાં સ્થાયી થયા. ગોલી મેળામાં અદ્ભુત બાઇક સ્ટંટ કરતો હતો. તેનાથી પ્રભાવિત થઈને રિશિતાએ ગોલી સાથે લગ્ન કર્યા. કોલવાડા ગામમાં રહેવા આવતા જ જશુ પટેલનું નામ સાંભળવા મળ્યું. અને ધીમે ધીમે તેની નજર ઘનશ્યામને મળી. પરિણામે રિશીતાએ લગભગ 17 વર્ષ પહેલા ઘનશ્યામ પટેલ સાથે લગ્ન કર્યા હતા.

રિશિતાને 15 વર્ષની દીકરી પણ છે, માહી.લગ્ન બાદ ઘનશ્યામ પરિવાર સાથે સેક્ટર-26 ગયો હતો. બીજી તરફ, મિરઝાપુરના કુખ્યાત બસ્તીખાન પઠાણની કુડાસણમાં ગેંગ વોરના કારણે જશુ પટેલ ની હત્યા કરવામાં આવી ત્યારે પટેલ ભાઈઓનો સૂર્ય આથમી ગયો હતો. જોકે ઘનશ્યામ પટેલને દારૂનું વ્યસન હતું અને ઘરમાં અવારનવાર ઝઘડા થતા હતા. તે તેની પત્નીને અંધશ્રદ્ધાથી પરેશાન કરતો હતો.

દોઢ મહિના પહેલા રિશિતા રિસાઈ પિયર ચાલી ગઈ હતી. આખરે સેક્ટર-26માં મકાન ભાડે રાખીને તે કોલવાડા જતી રહી. અહીં પણ ઘરમાં દંપતી વચ્ચે ઝઘડો ચાલતો હતો. આ બાજુ ઘનશ્યામ એકલો પડી ગયો અને તેણે દારૂ પીવાનું ચાલુ કરી દીધું. અને થોડા અઠવાડિયા પહેલા જ રિશિતા અને પુત્રી માહીને સમાધાન કરીને ઘરે પરત લાવવામાં આવ્યા હતા.

જો કે ઘનશ્યામને રિશિતાનું વર્તન શંકાસ્પદ લાગ્યું, જેના કારણે ફરી લડાઈ શરૂ થઈ થઈ. આજે ઘનશ્યામ ઘરમાં સૂતો હતો ત્યારે રિશીતાએ તેને માથાના ભાગે લોખંડન પરાડ વડે માર માર્યો હતો. જ્યારે 15 વર્ષની પુત્રીએ પિતા ઘનશ્યામનું ગળું કટરથી કાપી નાખ્યું હતું. અને ઘનશ્યામનું મોત થયું હતું. દરમિયાન માતા-પુત્રી ઘનશ્યામની હત્યા થતા જોઈ રહ્યા હતા.

ઘનશ્યામની હત્યા કર્યા બાદ માતા-પુત્રી કલાકો સુધી લાશ પાસે બેસી રહ્યાં. આખા ઘરમાં લોહીના છાંટા પડ્યા હતા. બાદમાં રિશિતાએ તેના સસરાને ફોન કર્યો હતો. ઘટનાની જાણ થતા પેથાપુર પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આ અંગે પીએસઆઈ એમ.એસ.રાણાએ જણાવ્યું હતું કે, પ્રાથમિક તપાસમાં ઘરેલું હિંસાના કારણે માતા-પુત્રીએ મળીને તેની હત્યા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ઘનશ્યામ પટેલના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. મૃતકે કેફીન પીધું હતું કે કેમ તે જાણવા માટે વિસેરા લેવામાં આવ્યા છે. જ્યારે રિશિતાની પૂછપરછ ચાલી રહી છે.

મૃતક ભાઈ જશુ પટેલની 12 વર્ષ પહેલા હત્યા કરવામાં આવી હતી.ઘનશ્યામ પટેલના ભાઈ જશુ પટેલની 8 સપ્ટેમ્બર 2009ના રોજ ગાંધીનગરના કુડાસણમાં એક પાર્લરમાં છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. જશુ પટેલને કુખ્યાત બસ્તી દાદા ઉર્ફે ઈસ્માઈલ અબ્દુલ ગફૂર ખીલજી અને તેના 10 જેટલા સાથીઓએ ભેગા થઈને તેમને મોતને ઘાટ ઉતારી દીધા હતા.

સવારે 11 વાગ્યાની આસપાસ બનેલા આ હત્યાકાંડમાં આસપાસના કોઈએ મૃતકની ચીસો સાંભળી ન હતી. આથી પોલીસને આશંકા છે કે મૃતક હત્યા પહેલા બેહોશ થઈ ગયો હતો. ઘરેલું હિંસા હત્યાનું મુખ્ય કારણ હોવાનું જાણવા મળ્યું હતું. જોકે પોલીસે લગ્નેતર સંબંધો અને મિલકત સહિત સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. હત્યામાં માતા-પુત્રીનો હાથ છે કે અન્ય કોઈએ મદદ કરી છે કે કેમ તે અંગે પણ પોલીસે તપાસ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *