લોકપ્રિય મોરારીબાપુએ ગુજરાતના આ મહારાજાને ભારત રત્નથી નવાજવા માટેની માંગ કરી Gujarat Trend Team, May 4, 2022 પ્રખ્યાત રામ કથાકાર મોરારીબાપુએ ભાવનગર રાજ્યના સ્વર્ગસ્થ મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ‘ભારત રત્ન થી નવાજવા માટેનું સૂચન કર્યું છે. ભાવનગરવાસીઓ હાલમાં ભાવનગરનો 299મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આ ઉત્સવમાં ભાગ લેવા માટે વિશ્વભરમાંથી ઘણા લોકો જોડાઈ રહ્યા છે. ત્યારબાદ મોરારીબાપુએ ભાવનગરને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. મોરારીબાપુએ ઉત્તર પ્રદેશના લલિતપુર ખાતેથી ભાવેણા જન્મોત્સવનું આયોજન કરવા બદલ મંત્રી જીતુ વાઘાણી અને બાકીની ટીમને અભિનંદન પાઠવ્યા હતા અને આ કાર્યક્રમ બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. બીજી તરફ મોરારી બાપુએ પણ આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે એક નમ્ર સૂચન કર્યું હતું કે આપણે આઝાદીનો અમૃત મહોત્સવ અને ભાવનગરનો જન્મદિવસ બંને ઉજવીએ છીએ. મારા મગજમાં એક નમ્ર વિચાર આવ્યો છે. “મારી તેમાં કોઈજ પ્રકારની અપેક્ષા નથી અને હું તેવી જ રીતે રહેવા માંગુ છું,” તેવું તેમને જણાવ્યું હતું. ભાવનગર રાજ્યના નાના તલગાજરડા ગામના રહેવાસી તરીકે મારી ઈચ્છા છે કે અખંડ ભારતની સ્થાપના માટે ભાવનગરના મહારાજા એ સૌ પ્રથમ પોતાનું રાજ્ય દેશને અર્પણ કર્યું હતું તો આવા દયાળુ મહારાજા કૃષ્ણકુમાર સિંહજીને ભારત રત્ન એનાયત થવો જોઈએ. કથાકાર મોરારીબાપુએ ભાવનગર એરપોર્ટને એકદમ આધુનિક રીતે વિકાસ કરીને મહારાજા કૃષ્ણકુમારસિંહજીનું નામ આપવાનું પણ સૂચન કર્યું હતું. ભાવનગર રજવાડાના મહારાજા કૃષ્ણકુમારસિંહજીનું ગૌરવ વધારવા મોરારીબાપુનુ આ નમ્ર સૂચન સૌએ આવકારવું જોઈએ અને આ સૂચન રાજકીય શક્તિ મેળવશે તેવી ભાવનગરમાં સૌને આશા છે. સમાચાર