હજી તો હાથમાં મહેંદીનો કલર પણ ન હતો ગયો તે પહેલા જ પતિ-પત્નીએ ટ્રેનના પાટા ઉપર જીવન પડતું મૂક્યું, પરિવાર ને હજી ખબર જ નથી કે કયા કારણથી આપઘાત કર્યો… Gujarat Trend Team, July 26, 2022 સમગ્ર રાજ્યમાં હાલ અત્યારે છેલ્લા કેટલાક દિવસોથી ઘણા આપઘાતના બનાવો સામે આવી રહ્યા છે… ક્યારેક લોકો પોતાની માનસિક સ્થિતિને કારણે, પારિવારિક ઝગડા ને કારણે તો ક્યારેક પૈસા ટકે ના વાંધો ને કારણે તો ક્યારેક પ્રેમ સંબંધમાં વ્યક્તિ જીવન ટુંકાવી દેતો હોય છે. આવો જ એક કિસ્સો હાલ અત્યારે રાજકોટ શહેરમાંથી સામે આવી રહ્યો છે તો ચાલો જાણીએ શું છે આખી સમગ્ર ઘટના જ્યાં એકદમ પતિએ સજોડે આપઘાત કરવાનો વારો આવ્યો. રાજકોટ શહેરના રેલનગર વિસ્તારમાં બંને પતિ પત્ની સજોડે આપઘાત કરવાની ઘટના અત્યારે સમગ્ર વિસ્તારમાં ચકચાર બની છે સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા પોલીસનો કાફલો ઘરના સ્થળે તરત જ પહોંચી ગયો હતો અને પોલીસ કર્મચારીઓએ પંચનામાની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ બંને લાશોને પીએમ રૂમ ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી હતી. બંને પતિ પત્નીની લાશ પોસ્ટમોર્ટમ માટે પીએમ રૂમ ખસેડવામાં આવી ત્યારે પરિવારજનો ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ઊંચી પડ્યા હતા. પરિવારના લોકોને પાસેથી જાણવા મળ્યું છે કે બંનેના હજી દોઢ મહિના પહેલા જ પ્રેમ લગ્ન થયા હતા. અને આ બંને પતિ પત્નીઓએ કયા કારણથી આપઘાત કર્યો છે અને આવડું મોટું પગલું ભર્યું છે હજી પણ કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી. જાણવા મળતી માહિતી મુજબ શહેરના રેલનગર વિસ્તારમાં સંતોષીનગરના ફાટક પાસે સવારના પોરમાં બે વ્યક્તિઓ જે રેલની નીચે આવીને કચડાઈ ગયા હોવાનું પોલીસને જાણ થઈ હતી અને પોલીસનો આખો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો અને કાયદેસરની કાર્યવાહી તરતો તરત જ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસ દરમિયાન પોલીસ અધિકારીઓને જાણવા મળ્યું છે કે આ બંને દંપતિઓએ વહેલી સવારે ચાર વાગ્યે નિયમિત ક્રમ મુજબ દંપતિએ પાણી ભર્યું હતું ત્યારબાદ પાંચ વાગે આસપાસ પોતાના ઘરની સામે આવેલા પાટા ઉપર જઈને બંનેએ જીવન ટૂંકાવ્યું હતું. દંપતીના મૃતક પતિ નું નામ કરણ હોવાનું સામે આવ્યું છે અને પત્નીનું નામ સ્નેહા છે અને પરિવારજનો પાસેથી જાણવા મળ્યું છે કે હજી થોડા મહિના પહેલા જ બંને વચ્ચે પ્રેમ થયો હતો અને બાદમાં પરિવારના લોકોએ રાજી ખુશીથી બંનેના લગ્ન પણ કરાવી આપ્યા હતા. મહિલા દરજી સમાજની હતી અને જ્યારે યુવક કોળી સમાજનો હતો. જાણવા મળતી માહિતી મુજબ યુવક મજૂરી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યો હતો દંપતીએ કયા કારણોસર ટ્રેનના પાટા ઉપર પડતું મૂક્યું તે હજી પણ કારણ અકબંધ છે અને પરિવાર પણ આ વિશે કશું પણ જાણતો નથી કે દંપતિ એ કયા કારણથી જીવન ટૂંકાવ્યું. સમાચાર